રાષ્ટ્રીય
બાબા રામદેવ સહિત અન્ય લોકો વિરૂધ્ધ કોરોનાની દવાના દાવા અંગે ફરિયાદ નોંધાઇ
બાબા રામદેવ સહિત અન્ય લોકો વિરૂધ્ધ કોરોનાની દવાના દાવા અંગે ફરિયાદ નોંધાઇ

પ્રકાશિત
7 months agoon
By
ખબર ગુજરાત

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક વકીલે બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જયપુરના એસીપી અશોક ગુપ્તાએ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું- કોઇ પણ પ્રકારના પરિક્ષણ વિના કોરોના વાયરસનો દાવો કરવા અંગે અમને ફરિયાદો મળી હતી. અગાઉ 26 જૂને રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગે પતંજલિની દવા કોરોનિલ અંગે જયપુરની એનઆઇએમએસ હોસ્પિટલને એક નોટિસ મોકલી હતી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે આ નોટિસમાં હોસ્પિટલના વહીવટીતંત્રને કોરોના દર્દીઓ પર પતંજલિની દવાની ટ્રાયલ કરવા અંગે સ્પષ્ટીકરણ માંગવામા આવ્યું છે.
જયપુરના મુખ્ય ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારી ડો. નરોત્તમ શર્માએ જણાવ્યું કે અમે બુધવારે હોસ્પિટલને નોટિસ જાહેર કરી હતી જેમાં ત્રણ દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવાનું કહેવાયું છે. હોસ્પિટલે આ મામલે કોઇ ટ્રાયલની જાણકારી પણ આપી ન હતી તેમજ મંજૂરી પણ લીધી ન હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ તરફથી જવાબની રાહ જોઇ રહ્યા છીએ. રાજસ્થાન સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કોરોનિલને આયુષ મંત્રાલયની મંજૂરી નહીં મળી જાય, તેને દવા તરીકે ઉપયોગમાં નહી લેવામા આવે.
પતંજલિએ એનઆઇએમએસ વિશ્વવિદ્યાલય સાથે મળીને આ દવા વિકસિત કરી છે. મંગળવારે દવા લોન્ચ કરતી વખતે કંપનીએ દાવો કર્યો હતો કે કોરોના કેસમાં તે ત્રણ દિવસમાં 69 ટકા અને સાત દિવસમાં 100 ટકા સકારાત્મક પરિણામ આપે છે.
તમને વાંચવા ગમશે
-
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા કોરોના સંક્રમિત
-
ખંભાળિયા નગરપાલિકાની 28 બેઠકો માટે ભાજપામાં 132 દાવેદાર
-
જામનગરમાં બે જગ્યાએથી દારૂની ત્રણ બોટલ જપ્ત
-
યુવકે વ્યાજખોરોના ત્રાસથી ડરીને શરીરે ડીઝલ છાંટી જાત જાળવી
-
જિલ્લા-તાલુકા પંચાયતની કુલ 136 બેઠક માટે ભાજપામાં 537 દાવેદાર
-
બજેટ સત્ર દરમ્યાન સંસદસભ્ય દિલ્હીમાં
રાષ્ટ્રીય
દિલ્હીની હિંસા સરકાર-પોલીસનું ષડ્યંત્ર: ખેડૂત નેતાઓ
કૃષિ કાયદાઓ વિરૂધ્ધનું આંદોલન ચાલુ રાખવા ખેડૂતો હજૂ મકકમ





પ્રકાશિત
2 hours agoon
January 28, 2021By
ખબર ગુજરાત

સંયુક્ત કિસાન મોરચાના ખેડૂત નેતાઓએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન પહેલાની જેમ જ ચાલું રહેશે, ખેડૂત નેતાઓએ કહ્યું છે કે, તેમનું આંદોલન ત્યાર સુધી ચાલું રહેશે જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓને પરતલેવામાં આવશે નહીં. દિલ્હીમાં થેયલી હિંસા પર ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તે સરકારનું ષડયંત્ર હતું અને દિલ્કી પોલીસ પણ તેમાં સામેલ હતી.
સંયુક્ત કિસાન મોરચાએ પોતાની પ્રેસ નોટમાં લખ્યું છે કે, પાછલા સાત મહિનાઓથી ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલનને બદનામ કરવાનું ષડયંત્ર હવે જનતા સામે ઉજાગર થઈ ચૂક્યું છે. કેટલાક વ્યક્તિઓ અને સંગઠન (મુખ્ય રીતે દિપ સિધુ અને સતનામ સિંહ પન્નની આગેવાનીમાં ખેડૂત મજૂર સંઘર્ષ કમિટી)ના સહારે, સરકારે આ આંદોલને ફિંસક બનાવ્યું, અમે ફરીથી સ્પષ્ટ કરીએ છીએ કે, લાલ કિલ્લા અને દિલ્હીના અન્ય વિસ્તારોમાં થયેલી હિંસક કાર્યવાહી સાથે અમારો કોઈ જ સંબંધ નથી. અમે તે ગતિવિધિઓની કડક નિંદા કરીએ છીએ.
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, કાલે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી ખુબ જ સફળતાપૂર્વક થઈ, જો કોઈ ઘટના ઘટી છે તો તેના માટે પોલીસ પ્રશાસન જવાબદાર રહ્યું છે. કોઈ લાલ કિલ્લા ઉપર પહોંચી જાય અને પોલીસની એક ગોળી પણ ના ચાલે. આ ખેડૂત સંગઠનોને બદનામકરવાનું ષડયંત્ર હતું. ખેડૂત આંદોલન ચાલું રહેશે.
ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તેઓ 30 જાન્યુઆરીએ ગાંધીજીના શહાદતદિવસ પર શાંતિ અને અહિંસા પર ભાર આપવા માટે, આખા દેશમાં એક દિવસનો ઉપવાસ રાખવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાએ જનતાને દીપ સિદ્ધ જેવા તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની અપીલ કરી છે. ખેડૂત નેતાઓએ 1 ફેબ્રુઆરીએ સંસદ કૂચ કરવાનો કાર્યક્રમ રદ કરી દીધો છે. ખેડૂત નેતાઓએ નૈતિક જવાબદારી લેતા એક ફેબ્રુઆરી માટે નિર્ધારિત સંસદ માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
રાષ્ટ્રીય
આવતીકાલથી સંસદનું બજેટસત્ર: જબરી ટકકરના એંધાણ
પ્રારંભે રાષ્ટ્રપતિનું સંયુકત ગૃહને સંબોધન અને સોમવારે દેશનું બજેટ: પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને શનિવારે સર્વપક્ષિય બેઠક





પ્રકાશિત
4 hours agoon
January 28, 2021By
ખબર ગુજરાત

આવતીકાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સત્રમાં ભારે ગરમાગરમી થવાના એંધાણ મળી રહ્યા છે. કિશાન આંદોલન, ભારત-ચીન મુદ્દો, દેશની તૂટતી અર્થવ્યવસ્થા, વોટસએપ ચેટ લીક, કોરોના સંકટ સહિતના મામલે વિપક્ષ સરકારને ભીડવે તેવી શકયતા છે. આ બધા પ્રશ્ર્નોનો મોદી સરકારે જવાબ આપવો પડશે. આજે વિપક્ષો સંયુકત રણનીતી ઘડી રહ્યા છે. આજે કોંગ્રેસ, ડાબેરીઓ, તૃણમૂલ, ડીએમકે, રાજદ, શિવસેના, આપ, એનસીપી સહિતના વિપક્ષો મંત્રણા કરી રહ્યા છે.
સંસદનું સત્ર આવતીકાલે શરૂ થઈ રહ્યુ છે. 1લી ફેબ્રુઆરીએ બજેટ રજુ થશે. અર્થતંત્રના મોરચે ઘેરાયેલી સરકાર માટે આ બજેટ સરળ નથી થવાનું. પરંતુ સૌથી મોટી સમસ્યા કૃષિ કાનૂનને લઈને ખેડૂતો અને સરકાર વચ્ચે જારી સંગ્રામ અને ભારત-ચીન સીમા વિવાદનો મુદ્દો છે.
બજેટ સત્રમાં સરકારની સૌથી મોટી સમસ્યા કોવિડ સંકટ વચ્ચે અર્થતંત્રને સુધારવાની છે. પરંપરા મુજબ સત્ર પહેલા રાષ્ટ્રપતિનું પ્રવચન થશે. જેમાં તેઓ સરકારની ભાવિ યોજનાઓનુ માળખુ રજૂ કરશે. સંસદનું બજેટ બે ભાગમાં યોજાશે. જેમાં પ્રથમ સત્ર 15 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજુ સત્ર 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.
બજેટ સત્ર સારી રીતે ચાલે તે માટે પીએમ મોદીએ 30મીએ સંસદમાં વિપક્ષોની બેઠક બોલાવી છે. જો કે સંસદમાં સૌથી મોટો મુદ્દો કિસાન આંદોલનનો જ રહેશે.
રાષ્ટ્રીય
લાલ કિલ્લા પર હિંસાને લઇને દિલ્હી પોલીસની સૌથી મોટી કાર્યવાહી





પ્રકાશિત
4 hours agoon
January 28, 2021By
ખબર ગુજરાત

ગણતંત્ર દિનના અવસર પર દિલ્હીના લાલકિલ્લા ખાતે થયેલી હિંસાને લઇને સમગ્ર દેશમાં ટ્રેક્ટર રેલીની ટીકા થઇ રહી છે. ત્યારે દિલ્હી પોલીસે પણ આ હિંસાને લઇને કાર્યવાહી શરુ કરી દીધી છે. પોલીસ હિંસાના આરોપી ખેડૂત નેતાઓ પર લુકઆઉટ નોટીસ જાહેર કરશે. તો હિંસા બાદ ખેડૂત આંદોલનમાં તિરાડ પડી ગઈ છે. અને બે ખેડૂત સંગઠનોએ પોતાનું આંદોલન પાછુ ખેચી લીધું છે.
ગૃહમંત્રાલયના સુત્રો પાસેથી સમાચારો વહેતા થયા છે કે દિલ્હી પોલીસ દ્રારા કાર્યવાહીનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. અને પોલીસ હિંસાના આરોપી ખેડૂત નેતાઓ પર લુકઆઉટ નોટીસ જાહેર કરશે. ઉપરાંત એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે આજથી જ દિલ્હી પોલીસ ખેડૂત નેતાઓના પાસપોર્ટ જપ્ત કરશે અને જે ખેડૂતો સામે ફરિયાદ થઇ છે તેમને લુક આઉટ નોટીસ ફટકારવામાં આવશે. હિંસા મામલે અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને 25 FIR દાખલ કરવામાં આવી છે. લાલ કિલ્લા ખાતે થયેલી હિંસાના પરિણામે હરિયાણાના રેવાડી જિલ્લાના ઓછામાં ઓછા પંદર ગામોની પંચાયતોએ દિલ્હીમાં આંદોલન કરી રહેલા પોતાના ખેડૂતોને તત્કાળ દિલ્હીની સડકો ખાલી કરીને ગામડે પાછાં ફરવાનો આદેશ મોકલ્યો હતો.
ગાઝીપુર વિસ્તાર જેવા અન્ય કેટલાક સ્થળેથી પણ ખેડૂતો પાછા ફર્યા હતા.હરિયાણામાં વિરોધ કરી રહેલા ખેડૂતો પણ પોતાને અગાઉ મળેલો ટેકો ખોઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પંદર ગામોની બનેલી એક પંચાયતે દિલ્હી જયપુર નેશનલ હાઇ વે પર ત્રીજી જાન્યુઆરીથી દેખાવો કરી રહેલા ખેડૂતોને પોતપોતાને ઘેર પાછા ફરવાનો આદેશ મોકલ્યો હતો.મોટા ભાગના ખેડૂતો લાલ કિલ્લા ખાતે બનેલી ઘટનાથી નારાજ હતા. અને કહ્યું હતું કે હિંસા ફેલાવનાર ખેડૂતો ન હતા તેઓ અસામાજિક તત્વો હતા.


ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા કોરોના સંક્રમિત



ખંભાળિયા નગરપાલિકાની 28 બેઠકો માટે ભાજપામાં 132 દાવેદાર


જામનગરમાં બે જગ્યાએથી દારૂની ત્રણ બોટલ જપ્ત
ટ્રેન્ડીંગ
-
રાજ્ય2 weeks ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય1 week ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત