રાષ્ટ્રીય
239 વૈજ્ઞાનિકોએ WHO ને પત્ર લખ્યો
WHO કોરોનાની ગાઇડલાઇન બદલી શકે છે

પ્રકાશિત
7 months agoon
By
ખબર ગુજરાત

કોરોના વાયરસને લઇને દુનિયાભરનાં 239 સાયન્ટિસ્ટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને પત્ર લખીને ચેતવણી આપી છે. 32 દેશોનાં આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાયરસ હવામાં રહે છે. વૈજ્ઞાનિકો આ પત્ર સાથે જોડાયેલી વાતોને આવનારા સમયમાં જર્નલમાં પ્રકાશિત કરવા ઇચ્છતા હતા, પરંતુ આ પહેલા જ મીડિયામાં આ લીક થઈ ગયું. વૈજ્ઞાનિકોએ WHOને ગાઇડલાઇન્સ બદલવાની માંગ કરી છે.
ન્યૂયૉર્ક ટાઇમ્સનાં રિપોર્ટ પ્રમાણે, WHOને લખેલા પત્રમાં સાયન્ટિસ્ટે કહ્યું છે કે હવામાં રહેલા સામાન્ય કણથી પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકોને લાગે છે કે કોરોના વાયરસ હવામાં લાંબા સમય સુધી રહી શકે છે અને અનેક મીટરની સફર કરીને આસપાસનાં લોકોને સંક્રમિત કરી શકે છે. જો વૈજ્ઞાનિકોની આ વાત સત્ય છે તો બંધ રૂમમાં અથવા એવી જગ્યાઓ પર સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હશે.
આવામાં સ્કૂલ, દુકાન અને આવી અન્ય જગ્યાઓ પર કામ કરનારા લોકોએ વધારે સાવધાની રાખવી જોઇએ. બસમાં યાત્રા કરવી પણ ખતરાનક થઈ શકે છે, કેમકે લગભગ 2 મીટર દૂર બેસવા પર પણ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. પત્ર લખનારા વૈજ્ઞાનિકોની ટીમમાં સામેલ ઑસ્ટ્રેલિયાની ક્વીંસલેન્ડ યૂનિવર્સિટી ઑફ ટેક્નોલોજીની પ્રોફેસર લિડીયા મોરાવસ્કાએ કહ્યું કે, ‘અમે આ વાતને લઇને 100 ટકા આશ્વસ્ત છીએ.’
વૈજ્ઞાનિકોનાં નવા દાવાને જોતા WHOએ પોતાની ગાઇડલાઇન્સ બદલવી પડી શકે છે. જે જગ્યાઓ પર વેન્ટિલેશન નથી ત્યાં લોકોને દૂર બેસવા ઉપરાંત અનિવાર્ય રીતે માસ્ક પહેરવા પડી શકે છે. WHO અત્યાર સુધી કહેતુ રહ્યું છે કે મુખ્ય રીતે કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિનાં કફ અથવા છીંક દરમિયાન Large Respiratory Dropletsથી જ ફેલાય છે.
તમને વાંચવા ગમશે
-
રામમંદિર નિર્માણ માટે પોરબંદર માર્કેટ યાર્ડમાંથી 3 લાખ 51 હજારનો ફાળો એકત્ર
-
ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝ વલણના અંતે નફારૂપી વેચવાલી.…!!
-
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા કોરોના સંક્રમિત
-
ખંભાળિયા નગરપાલિકાની 28 બેઠકો માટે ભાજપામાં 132 દાવેદાર
-
જામનગરમાં બે જગ્યાએથી દારૂની ત્રણ બોટલ જપ્ત
-
યુવકે વ્યાજખોરોના ત્રાસથી ડરીને શરીરે ડીઝલ છાંટી જાત જાળવી
રાષ્ટ્રીય
દિલ્હીની હિંસા સરકાર-પોલીસનું ષડ્યંત્ર: ખેડૂત નેતાઓ
કૃષિ કાયદાઓ વિરૂધ્ધનું આંદોલન ચાલુ રાખવા ખેડૂતો હજૂ મકકમ





પ્રકાશિત
3 hours agoon
January 28, 2021By
ખબર ગુજરાત

સંયુક્ત કિસાન મોરચાના ખેડૂત નેતાઓએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન પહેલાની જેમ જ ચાલું રહેશે, ખેડૂત નેતાઓએ કહ્યું છે કે, તેમનું આંદોલન ત્યાર સુધી ચાલું રહેશે જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓને પરતલેવામાં આવશે નહીં. દિલ્હીમાં થેયલી હિંસા પર ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તે સરકારનું ષડયંત્ર હતું અને દિલ્કી પોલીસ પણ તેમાં સામેલ હતી.
સંયુક્ત કિસાન મોરચાએ પોતાની પ્રેસ નોટમાં લખ્યું છે કે, પાછલા સાત મહિનાઓથી ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલનને બદનામ કરવાનું ષડયંત્ર હવે જનતા સામે ઉજાગર થઈ ચૂક્યું છે. કેટલાક વ્યક્તિઓ અને સંગઠન (મુખ્ય રીતે દિપ સિધુ અને સતનામ સિંહ પન્નની આગેવાનીમાં ખેડૂત મજૂર સંઘર્ષ કમિટી)ના સહારે, સરકારે આ આંદોલને ફિંસક બનાવ્યું, અમે ફરીથી સ્પષ્ટ કરીએ છીએ કે, લાલ કિલ્લા અને દિલ્હીના અન્ય વિસ્તારોમાં થયેલી હિંસક કાર્યવાહી સાથે અમારો કોઈ જ સંબંધ નથી. અમે તે ગતિવિધિઓની કડક નિંદા કરીએ છીએ.
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, કાલે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી ખુબ જ સફળતાપૂર્વક થઈ, જો કોઈ ઘટના ઘટી છે તો તેના માટે પોલીસ પ્રશાસન જવાબદાર રહ્યું છે. કોઈ લાલ કિલ્લા ઉપર પહોંચી જાય અને પોલીસની એક ગોળી પણ ના ચાલે. આ ખેડૂત સંગઠનોને બદનામકરવાનું ષડયંત્ર હતું. ખેડૂત આંદોલન ચાલું રહેશે.
ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તેઓ 30 જાન્યુઆરીએ ગાંધીજીના શહાદતદિવસ પર શાંતિ અને અહિંસા પર ભાર આપવા માટે, આખા દેશમાં એક દિવસનો ઉપવાસ રાખવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાએ જનતાને દીપ સિદ્ધ જેવા તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની અપીલ કરી છે. ખેડૂત નેતાઓએ 1 ફેબ્રુઆરીએ સંસદ કૂચ કરવાનો કાર્યક્રમ રદ કરી દીધો છે. ખેડૂત નેતાઓએ નૈતિક જવાબદારી લેતા એક ફેબ્રુઆરી માટે નિર્ધારિત સંસદ માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
રાષ્ટ્રીય
આવતીકાલથી સંસદનું બજેટસત્ર: જબરી ટકકરના એંધાણ
પ્રારંભે રાષ્ટ્રપતિનું સંયુકત ગૃહને સંબોધન અને સોમવારે દેશનું બજેટ: પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને શનિવારે સર્વપક્ષિય બેઠક





પ્રકાશિત
4 hours agoon
January 28, 2021By
ખબર ગુજરાત

આવતીકાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સત્રમાં ભારે ગરમાગરમી થવાના એંધાણ મળી રહ્યા છે. કિશાન આંદોલન, ભારત-ચીન મુદ્દો, દેશની તૂટતી અર્થવ્યવસ્થા, વોટસએપ ચેટ લીક, કોરોના સંકટ સહિતના મામલે વિપક્ષ સરકારને ભીડવે તેવી શકયતા છે. આ બધા પ્રશ્ર્નોનો મોદી સરકારે જવાબ આપવો પડશે. આજે વિપક્ષો સંયુકત રણનીતી ઘડી રહ્યા છે. આજે કોંગ્રેસ, ડાબેરીઓ, તૃણમૂલ, ડીએમકે, રાજદ, શિવસેના, આપ, એનસીપી સહિતના વિપક્ષો મંત્રણા કરી રહ્યા છે.
સંસદનું સત્ર આવતીકાલે શરૂ થઈ રહ્યુ છે. 1લી ફેબ્રુઆરીએ બજેટ રજુ થશે. અર્થતંત્રના મોરચે ઘેરાયેલી સરકાર માટે આ બજેટ સરળ નથી થવાનું. પરંતુ સૌથી મોટી સમસ્યા કૃષિ કાનૂનને લઈને ખેડૂતો અને સરકાર વચ્ચે જારી સંગ્રામ અને ભારત-ચીન સીમા વિવાદનો મુદ્દો છે.
બજેટ સત્રમાં સરકારની સૌથી મોટી સમસ્યા કોવિડ સંકટ વચ્ચે અર્થતંત્રને સુધારવાની છે. પરંપરા મુજબ સત્ર પહેલા રાષ્ટ્રપતિનું પ્રવચન થશે. જેમાં તેઓ સરકારની ભાવિ યોજનાઓનુ માળખુ રજૂ કરશે. સંસદનું બજેટ બે ભાગમાં યોજાશે. જેમાં પ્રથમ સત્ર 15 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજુ સત્ર 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.
બજેટ સત્ર સારી રીતે ચાલે તે માટે પીએમ મોદીએ 30મીએ સંસદમાં વિપક્ષોની બેઠક બોલાવી છે. જો કે સંસદમાં સૌથી મોટો મુદ્દો કિસાન આંદોલનનો જ રહેશે.
રાષ્ટ્રીય
લાલ કિલ્લા પર હિંસાને લઇને દિલ્હી પોલીસની સૌથી મોટી કાર્યવાહી





પ્રકાશિત
5 hours agoon
January 28, 2021By
ખબર ગુજરાત

ગણતંત્ર દિનના અવસર પર દિલ્હીના લાલકિલ્લા ખાતે થયેલી હિંસાને લઇને સમગ્ર દેશમાં ટ્રેક્ટર રેલીની ટીકા થઇ રહી છે. ત્યારે દિલ્હી પોલીસે પણ આ હિંસાને લઇને કાર્યવાહી શરુ કરી દીધી છે. પોલીસ હિંસાના આરોપી ખેડૂત નેતાઓ પર લુકઆઉટ નોટીસ જાહેર કરશે. તો હિંસા બાદ ખેડૂત આંદોલનમાં તિરાડ પડી ગઈ છે. અને બે ખેડૂત સંગઠનોએ પોતાનું આંદોલન પાછુ ખેચી લીધું છે.
ગૃહમંત્રાલયના સુત્રો પાસેથી સમાચારો વહેતા થયા છે કે દિલ્હી પોલીસ દ્રારા કાર્યવાહીનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. અને પોલીસ હિંસાના આરોપી ખેડૂત નેતાઓ પર લુકઆઉટ નોટીસ જાહેર કરશે. ઉપરાંત એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે આજથી જ દિલ્હી પોલીસ ખેડૂત નેતાઓના પાસપોર્ટ જપ્ત કરશે અને જે ખેડૂતો સામે ફરિયાદ થઇ છે તેમને લુક આઉટ નોટીસ ફટકારવામાં આવશે. હિંસા મામલે અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને 25 FIR દાખલ કરવામાં આવી છે. લાલ કિલ્લા ખાતે થયેલી હિંસાના પરિણામે હરિયાણાના રેવાડી જિલ્લાના ઓછામાં ઓછા પંદર ગામોની પંચાયતોએ દિલ્હીમાં આંદોલન કરી રહેલા પોતાના ખેડૂતોને તત્કાળ દિલ્હીની સડકો ખાલી કરીને ગામડે પાછાં ફરવાનો આદેશ મોકલ્યો હતો.
ગાઝીપુર વિસ્તાર જેવા અન્ય કેટલાક સ્થળેથી પણ ખેડૂતો પાછા ફર્યા હતા.હરિયાણામાં વિરોધ કરી રહેલા ખેડૂતો પણ પોતાને અગાઉ મળેલો ટેકો ખોઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પંદર ગામોની બનેલી એક પંચાયતે દિલ્હી જયપુર નેશનલ હાઇ વે પર ત્રીજી જાન્યુઆરીથી દેખાવો કરી રહેલા ખેડૂતોને પોતપોતાને ઘેર પાછા ફરવાનો આદેશ મોકલ્યો હતો.મોટા ભાગના ખેડૂતો લાલ કિલ્લા ખાતે બનેલી ઘટનાથી નારાજ હતા. અને કહ્યું હતું કે હિંસા ફેલાવનાર ખેડૂતો ન હતા તેઓ અસામાજિક તત્વો હતા.


રામમંદિર નિર્માણ માટે પોરબંદર માર્કેટ યાર્ડમાંથી 3 લાખ 51 હજારનો ફાળો એકત્ર


ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝ વલણના અંતે નફારૂપી વેચવાલી.…!!


ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા કોરોના સંક્રમિત
ટ્રેન્ડીંગ
-
રાજ્ય2 weeks ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય1 week ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત